વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું: નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મૂર્મુને સુપરત કર્યું રાજીનામું, 8 જૂને લઈ શકે છે દેશના ત્રીજા વડાપ્રધાન તરીકે શપથ
- 05 Jun, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મને પોતાનું રાજનામું સુપરત કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ત્રીજી વખત બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણીમાં 292 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. જોકે બીજેપી એકલા હાલ હાથે બહુમતી માટે જરૂરી આંકડાને પાર કરી શકી નથી અને તેણે 240 સીટથી જ સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ વિપક્ષના ઈન્ડિયા એલાયન્સે 234 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે.
પરિણામોના બીજા જ દિવસે એટલે કે આજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ બુધવારે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના મંત્રી પરિષદનું રાજીનામું પણ સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને નવી સરકારની રચના સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદને તેમના પદ પર ચાલુ રાખવા વિનંતી કરી.
લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને ત્રીજી વખત સત્તા બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી થઈ ગયો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારંભ 8 જૂને સાંજે થાય તેવી શક્યતા છે. તેને લઈને તૈયારીઓ કઈ રીતે કરવી તેની પર ચર્ચા વિચારણ શરૂ થઈ ગઈ છે. નવા મંત્રી મંડળમાં ચેહરાઓને લઈને સહયોગી દળો સાથે વાતચીત અને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે બે-ત્રણ દિવસમાં નામોને ફાઈનલ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને 292 સીટો મળી છે. જો કે ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો સ્પર્શી શકી નથી. આવી સ્થિતિમાં કેન્દ્રમાં સત્તા કબજે કરવા માટે ભાજપે સાથી પક્ષોનો સહારો લેવો પડશે. આમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી તેમજ જનતા દળ યુનાઇટેડના વડા નીતિશ કુમાર મહત્વની ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવે છે. વાસ્તવમાં ભાજપને ત્રીજી વખત સરકાર બનાવવા માટે આ બંને પક્ષોની મદદની જરૂર છે. તેમનું મહત્વ જાણીને બંને પક્ષોના પ્રમુખ ભાજપ પાસે ઘણી માંગણીઓ કરી શકે છે.
આંધ્રપ્રદેશમાં 16 લોકસભા બેઠકો જીતનાર ટીડીપી એનડીએ સરકારને ટેકો આપવા બદલ સરકારમાં મોટા હિસ્સાની માંગ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયડુની સૌથી મોટી માંગ લોકસભા અધ્યક્ષ પદની છે. તમને જણાવી દઈએ કે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ કયા મંત્રાલયોની માંગ કરી શકે છે. નાયડુ 5 થી 6 કે તેથી વધુ મંત્રાલયો માંગી શકે છે. ત્રીજી વખત પીએમ પદના શપથ લેતા જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે, જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બનશે. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નહેરુંના નામે છે. મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.